તા. 31/ 5/2021નાં રામબાગ કોવિડ કેર સેન્ટર આદિપુર મદયે જેવીસી ટ્રસ્ટ ગાંધીધામ કરછ પ્રમુખ શ્રી યોગેશકુમાર સોની ,સંસ્થા સ્થાપક શ્રીમતી પારૂલ સોની- એડવોકેટ ,સલાહકાર ચેતનભાઈ મહેતા, અને મોડલ રાહુલ ચંચલાની આયોજિત સેવા કાર્ય કોવિડ સેન્ટર પર પોતાનાં સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ફરજ બજાવતા પ્રેરણારૂપ એવા તાલુકા ઓફિસર શ્રી ડો. દિનેશ સુતારીયાનાં માગૅદશૅન અને સહયોગથી કોરોના વાયરસ બિમારી સમયે સતત દદીઁઓને સેવા આપનાર ફીઝીયોથેરાપીસ્ટ ડો. પ્રિયાંક સોની દ્વારા કોરોના દદીઁઓને કોરોના શ્વાસમાં તકલીફ, શરીરમાં પહેલાં જેવી સ્ફુરતી ન અનુભવે, થાક અનુભવતા હોય તેવા લોકોને નિ:શુલ્ક માર્ગદર્શન તેમજ સારવાર આપવામાં આવી હતી, ડો. સુનીતા દેવનાનીએ દર્દી ઓને ભવિષ્યમાં સાવચેતી રાખી મનોબળ મજબુત કરવા પર વિશેષ ભાર મુક્યો હતો. નિદાન બાદ દદીઁઓને જેવીસી ટ્સ્ટ દ્રારા સ્પાયરોમેટ્રી મશીનનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, સેવાકાયૅમાં ડોક્ટર ટીમ અને સ્ટાફે સહકાર આપેલ એવું સંસ્થાનાં સેકેટરી શ્રી એકલવ્ય સોની એ જણાવ્યું હતું.
STORY BY KARISHMA MANI 9979160097